શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ તથા શ્રી કાનજી બાપુ સેવા ટ્રસ્ટ આયોજિત ૬૧ મી પુણ્યતિથિ ઉત્સવ ઉજવાશે

સાવરકુડલાની પવિત્રભૂમિ ઉપર અવતરી શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિમાં જન્મ ધારણ કરી, હજારો મુમુક્ષુઓના કલ્યાણ કરનાર અનેક ને પરચાવો આપનાર, સાધુ- સંતો, ગરીબો તથા વટેમાર્ગુઓને રોટલો અને ઓટલો આપનાર પરમ પૂજ્ય સંત શ્રી કાનજી બાપુની 61 મે પુણ્યતિથિ ધામધુમ થી ઉજવાશે. આ પુણ્ય તિથિ ના લાભાર્થી પરમાર પરિવાર અમદાવાદ અને ભાલીયા પરિવાર રાજકોટ છે. આ પુણ્યતિથિ ઉત્સવ તારીખ 8 1 2024 સોમવારે ઉત્સવ ઉજવાશે પરમ પૂજ્ય મહંત શ્રી બાપુ પાલનપુર વિજય બાપુ આર્શિવાદ વચન આપશે.આ પ્રસંગ બે દિવસ નો રહશે સમગ્ર વાતાવરણ ભક્તિમય બનશે.આ પ્રસંગને શોભાવવા પરમ પૂજ્ય શ્રી આપાગીગા બાપુ ની જગ્યા ના મહત્વ પરમ પૂજ્ય મહંત શ્રી વિજય બાપુ અને જીવરાજ બાપુ તથા અનેક સંતોના આશીર્વાદ લેવા સૌ વધારે તેવું નિમંત્રણ આપવામાં આવ્યું છે.આ કાર્યક્રમ તારીખ 7 1 2024 રવિવારે સન્માન સમારંભ આરતી સાંજે 7:00 કલાકે પ્રસાદી. ૮:૦૦  કલાકે અને રાસ ગરબા નવ કલાકે યોજાશે જ્યારે સંતવાણી પણ રાત્રે 10:00 કલાકે જાણીતા ભજનીક શૈલેષ મહારાજ અને તેમનું કલા વૃંદ થી આ કાર્યક્રમ સંગીતમ સાથે ધાર્મિક બનશે જ્યારે 8/1/24 સોમવાર ના રોજપૂજનવિધિ,શોભાયાત્રા,
ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગ માં રાજકીય, સામાજિક, ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહેશે.