બાબરા શહેર અને તાલુકા મા રામમંદિર ના અક્ષત નું ઢોલ નગારા સાથે લોકો એ સ્વાગત કર્યું

આગામી તા 22 જાન્યુઆરી ના દિવસે હિન્દૂ ધર્મ ના આરાધ્યા દેવ ભગવાન શ્રી રામ 500 વર્ષ પછી એમના મૂળ સ્થાને બિરાજમાન થવાના છે ત્યારે સમગ્ર દેશમાં ઉત્સાહિત માહોલ સર્જાયો મહોત્સવ ઉજવાય રહ્યો છે દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વના હીન્દુ ધર્મ ના દેશો મા પણ ભગવાન શ્રી રામ ના નવનિર્માણ મંદિરમાં પ્રવેશ ના વધામણા કરવામાં આવશે દેશ આખો રામમય બની ગયો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ગામે ગામ ભગવાન ના અક્ષત નું આગમન થયું અને અયોધ્યા નગરી ભગવાન ના દર્શન માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે બાબરા શહેર અને તાલુકા મા રામમંદિરોમા અક્ષત નું આગમન ગામના આગેવાન યુવાનો માતાઓ બહેનો દ્વારા ઢોલ નગારા વાજતેગાજતે સ્વાગત કરવામાં આવેશે બાબરા શહેર મા રામજી મંદિર ખાતે તેમજ તાલુકાના ગામોમાં મંદિર ખાતે અક્ષત નું ભવ્ય સ્વાગત કરાયું હતું.