અમરેલી,
હાલમાં જ જીઆઇડીસીમાંથી મોટા વાહનો હનુમાનપરામાંથી પસાર થતા રોડ સાંકડો હોવાનાં કારણે તેમજ સ્કુલો આવેલ હોવાથી હનુમાનપરાનાં રહીશો દ્વારા જીઆઇડીસીમાં આવતા જતા મોટા વાહનોનાં પ્રશ્ર્નો ચક્કાજામ કર્યુ હતું અને જીઆઇડીસીનાં ઉદ્યોગકારો અનેહનુમાનપરામાં રહેતા લોકો સીધા સંઘર્ષમાં આવ્યાં હતાં. જેથી અમરેલી નગરપાલિકા દ્વારા રોડને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દુર કરવા માટે આજે જેસીબી, ટ્રેક્ટરો તથા પાલિકાનાં કર્મચારીઓ અને પોલીસ સાથે રેલ્વે ગરનાળાથી હનુમાનપરા સત્યનારાયણ સોસાયટી સુધી રોડની સાઇડમાં આવેલા ગેરકાયદેસર દબાણો પાલિકાનાં તંત્ર દ્વારા દુર કરવામાં આવ્યાંનું ચિફઓફિસર શ્રી પટેલની યાદીમાં જણાવાયું