ગારીયાધાર પંથકમાં શ્રી ભરત સુતરીયાનો વિદ્યુત વેગી લોકસંપર્ક

ગારીયાધાર પંથકમાં શ્રી ભરત સુતરીયાનો વિદ્યુત વેગી લોકસંપર્ક

અમરેલી,
ગારીયાધાર વિધાનસભાના ગામ જેસર, સેદરડા, ગળથર, મોણપર, ગૂંદરણા, લુવારા, માનવિલાસ, પરવડી, મોટા ચારોડીયા તેમજ ગારીયાધાર શહેર સહિત વિવિધ ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે પ્રચારપ્રસાર કર્યો .આ તકે કેન્દ્રની મોદી સરકારની વિવધ સિદ્ધિ વિષે લોકો સાથે ચર્ચા કરી હતી. દરેક કાર્યક્રમમાં લોકોની સંખ્યામાં હાજરી જોવા મળી હતી. આતકેજિલ્લા ભાજપ પ્રમુખ આર. સી. મકવાણા, પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન દશરથ જાની, તાલુકા ભાજપ પ્રમુખ મોહનભાઈ મકવાણા તાલુકા ભાજપ ગ્રામ્ય નાં મહામંત્રી ઘનશ્યામભાઈ મહેતા તાલુકા પંચાયત નાં સદસ્ય હામુભાઇ આહીર ઈશ્વરભાઇ ગોહીલ તેમજ તાલુકા પંચાયત સદસ્ય જગદીશભાઇ વિક્રમભાઈ બારૈયા પંચાયત સદસ્ય ગેમભાઈ મકવાણા, રાણાભાઇ ગોહિલ, પૂર્વ ઉપ પ્રમુખ ગિજુભાઈ બલદાણીયા, નથુભાઈ રાઠોડ, રમેશભાઈ ગોહિલ, સરપંચ શ્રી ઓઢાભાઈ ગોહિલ, મંગાભાઈ શકાણી, તેમજ તાલુકાના અને જિલ્લાના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા