રાજુલામાં રખડતા ભટકતા લોકોનું રાત્રી નિવાસ સ્થાન એવું રેલ્વે સ્ટેશન ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં

રાજુલામાં રખડતા ભટકતા લોકોનું રાત્રી નિવાસ સ્થાન એવું રેલ્વે સ્ટેશન ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં

રાજુલા,

રાજુલા રેલવે સ્ટેશન એટલે રખડતા ભટકતા લોકોનું રાત્રિનું નિવાસસ્થાન પરંતુ ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં રેલ્વે તંત્રનાપોલીસ દર પંદર દબાણ કોઈએ કર્યું કે નહીં તે તપાસવા આવે ત્યારે તેને ધ્યાનમાં નહીં આવતું હોય પડશે તો મોટી જાનહાની થશે તેની જવાબદારી કોની પોલીસ તંત્ર કેબીનો વાળા પાસે 1 મહિને શા માટે મળવા આવે તે પણ સરસાનો નો વિષય રાજુલા રેલ્વે સ્ટેશન એટલે સૌથી છેલ્લુ સ્ટેશન એટલે એના ઉપરથી રાજુલા સીટી કહેવાનું હતું અહીં છેલ્લા 35 એક વર્ષથી રેલવે સંપૂર્ણ બંધ થઈ ગઈ છે રેલ્વે ની કરોડો રૂપિયાની અહીં જમીન પણ છે રેલવેના પાટા પણ આજની તારીખે છે રેલવેના અધિકારીઓને રહેવા માટેના ક્વાર્ટરો છે તે પણ પડવું પડ્યું છે હાલ તો અહીં રેલવેની જગ્યામાં રવિવારી બેસતી હોવાથી ગરીબ માણસો માટે આ જગ્યા રોજેરોટીનું માટેનું કેન્દ્ર બન્યું છે કારણકે અહીં રાજુલામાં એક પણ જગ્યા ખાલી ન હોવાથી નગરપાલિકા દ્વારા આ જગ્યા ફાળવી દેતા અહીં ગરીબ માણસો રવિવારેમાં માલ સામાન લેવા આવે છે પરંતુ મુખ્ય મુદ્દા નો પ્રશ્ન એ છે કે અહીં વર્ષો પુરાણું રાજુલાના પથ્થર થી બાંધેલું રેલ્વે સ્ટેશન હાલ તો અહીં ગરીબ માણસો પશુધન માટે આ જગ્યા ખૂબ જ ઉપયોગમાં આવે છે પરંતુ નવાઈની વાત તો એ છે કે આ રેલ્વે સ્ટેશન વર્ષો પુરાણું હોવાથી પચાસ ટકા નળિયા પણ ઉડી ગયા છે દીવાલોમાં તિરાડ થઈ ગઈ છે તેમજ સિમેન્ટના પતરા નાખેલું રેલવે નું પ્લેટફોર્મ નીચે અને રેલ્વે સ્ટેશન નીચે રખડતા ભખડતા ભિખારીઓ ગરીબ માણસો નાના બાળકો સહિતનો પરિવાર અહીં રાત્રિના રોકાણ કરે છે અને રસોઈ બનાવી અને અહીં સુવા માટે આરામથી સુતા હોય છે જેને કારણે 50% વરસાદ નું પાણી પડતું ન હોવાથી પવન ન આવતો હોવાથી બપોરે સાઈડો પડતો હોવાથી દરરોજ 20 થી 50 માણસો અહીં રેલવે સ્ટેશન નીચે અને પ્લેટફોર્મ નીચે સુતા હોય છે એ સમગ્ર ગ્રામને પણ ખબર છે.