ચક્કરગઢ દેવળીયામાં બે બાળકો ઉપર શ્ર્વાનનો હુમલો

ચક્કરગઢ દેવળીયામાં બે બાળકો ઉપર શ્ર્વાનનો હુમલો

અમરેલી,
અમરેલી પંથકમાં ફરીથી શ્ર્વાનનો આતંક શરૂ થયો હોય તેમ અમરેલીનાં ચક્કરગઢ દેવળીયા ગામે વાડીમાં બે બાળકો રમતા હતા અને અચાનક આવી ચડેલા શ્ર્વાનોએ ધનવંત કાલસિંગ બીલવાલ અને જે.સી.બીલવાલ નામના બાળકો ઉપર હુમલો કરતા બાળકોની ચીસો સાંભળી ખેતી કામ કરી રહેલા માતા પિતા દોડી ગયા હતા. શ્ર્વાનના આતંકને કારણે ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. અવાર નવાર ગ્રામ્ય વિસ્તારોમાં નાના બાળકોને શ્ર્વાન પીખી રહયા છે. તેમ જાણવા મળ્યુ