અમૃત સરોવરનું ખાતમુહુર્ત કરતા શ્રી ભરત સુતરીયા, શ્રી મહેશ કસવાળા

અમૃત સરોવરનું ખાતમુહુર્ત કરતા શ્રી ભરત સુતરીયા, શ્રી મહેશ કસવાળા

સાવરકુંડલા,

સાવરકુંડલા શહેરમાં હરવા ફરવા લાયક એકમાત્ર જાહેર જનતા બાગ સિવાય કશું ના હોવાથી સાવરકુંડલા માં આવતા મહેમાનો અને સાવરકુંડલા વાસીઓને વાર તહેવારે કે રવિવારે ક્યા તેની મુશ્કેલીઓનો અંત ટુંક સમયમાં આવશે કેમ કે નિષ્ઠાવાન ધારાસભ્ય મહેશ કસવાળાની શહેરીજનો પ્રત્યેની લાગણીઓ અને વિકાસ તરફની રાજ્ય સરકારની સંવેદનશીલતાને લઈને સાવરકુંડલા મહુવા બાયપાસ ખાતે આવેલ પ્રખ્યાત આકાશી મેલડી મંદિર અને લીલાપીર નજીક નો ભેસાણ ડેમ સાઈટ પર 5 કરોડના ખર્ચે અમૃત સરોવર બનાવવાના આજે અમરેલીના સાંસદ ભરત અને ધારાસભ્ય મહેશ કસવાળાના વરદહસ્તે ખાત મહૂર્ત કરવામાં આવેલ હતું સાવરકુંડલા શહેરને નવું નજરાણું મળી રહે અને અમરેલી જિલ્લા માંથી અમૃત સરોવર નિહાળવા લોકો આવે તેવું અદભુત અમૃત સરોવર 5 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું હોય જેના ખાત મુર્હૂત પ્રસંગે જ સાંસદ સુતરીયા અને ધારાસભ્ય કસવાળાએ વધુ એક વિકાસની સાવરકુંડલા શહેર તાલુકાની જનતા માટે આપી હોવાની પ્રતીતિ શહેરીજનો કરી રહ્યા હતા ને ખાત મુહર્ત પ્રસંગે મોટી સંખ્યામાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ નગરપાલિકા હોદ્દેદારશ્રીઓ, ચેરમેનશ્રીઓ, સદસ્યોશ્રી, જિલ્લા ભાજપ હોદ્દેદારશ્રીઓ, શહેર ભાજપ, તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, તાલુકા પંચાયત હોદ્દેદારશ્રીઓ, સદસ્યશ્રી સાવર કુંડલાના પ્રતિષ્ઠિત મુખ્ય આગેવાનો બહોળી સંખ્યામા ઉપસ્થિત