કુંકાવાવ-વડીયાના નવા ઉજળા-ચોકી રોડનું ખાતમુહુર્ત કરાયું

અમરેલી,
સમગ્ર ગુજરાતમાં વિકાસકાર્યો શરુ છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડીયાના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં અમરેલીના કુંકાવાવ-વડીયા તાલુકાના નવા ઉજળા-ચોકી રોડના ખાતમુર્હૂતનો કાર્યક્રમ વિધિવત રીતે યોજાયો હતો.
જિલ્લા પંચાયત માર્ગ અને મકાનની રુ. 50 લાખની અનુદાનમાંથી નવા ઉજળા-ચોકી રોડ બનાવવામાં આવશે. અંદાજિત 2,000 મીટર રોડની કામગીરી ચાર થી પાંચ દિવસમાં જ શરુ કરવામાં આવશે, આ કામગીરી આગામી 20 દિવસમાં પૂર્ણ પણ કરવામાં આવશે. નવા ઉજળા ખાતે રોડના ખાતમુર્હૂત પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાએ ગ્રામજનો સાથે શ્રી રામજી મંદિરમાં સાફ-સફાઈ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં ધાર્મિક અને આદ્યાત્મિક સ્થળો પર સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.કુંકાવાવ-વડીયા તાલુકાના નવા ઉજળા-ચોકી રોડના ખાતમુર્હૂત પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યુ કે, આ રોડનો પ્રશ્ન વર્ષોથી વણઉકેલ્યો હતો, હવે નવો રોડ બનાવવાની કામગીરી શરુ થશે એટલે ગ્રામજનોના વર્ષો જૂના રોડના પ્રશ્નનું નિરાકરણ આવશે. વધુમાં તેમણે જણાવ્યુ કે, આ કામગીરી આગામી 20 દિવસમાં જ પૂર્ણ કરવામાં આવશે. કુંકાવાવ-વડીયા તાલુકાના નવા ઉજળા-ચોકી રોડના ખાતમુર્હૂત પ્રસંગે અમરેલી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, નવા ઉજળા સરપંચશ્રી, તલાટી કમ મંત્રી શ્રી સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા