ડાયમંડ કીંગ શ્રી ગોવિંદ ધોળકિયા રાજ્યસભાના ઉમેદવાર જાહેર

અમરેલી,
સુરતમાંથી પાટીદાર અગ્રણી અને ડાયમંડ કીંગ એવા ગોવિંદ ધોળકિયાને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ સુરતના પ્રખ્યાત હીરા વેપારી છે. તેઓ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠીના દુધાળાના વતની છે. ભાજપ દ્વારા ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે. ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત થતાં હીરા ઉદ્યોગથી લઈને એક સાથે સુરત અને સૌરાષ્ટ્રને સાચવી લેવામાં આવ્યા હોવાનું રાજકીય ગણિતકારો કહી રહ્યાં છે.ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત થતાં હીરા ઉદ્યોગમાં પણ ખુશીનો માહોલ છે. સુરત ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયાએ કહ્યું, ભારતીય જનતા પાર્ટીને ધન્યવાદ કે એમણે ઉમેદવાર તરીકે ગોવિંદ કાકાની પસંદગી કરી. ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝમાં આજે ખુશીનો માહોલ છે. ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝને ક્યારેય રાજકીય પ્રતિનેતૃત્વ મળ્યું નહોતું.ગુજરાતમાં ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે, જેમાં એક નામ હીરા ઉદ્યોગકાર ગોવિંદ ધોળકીયાનું નામ પણ છે. ગોવિંદ ધોળકિયાને “ડાયમંડ કીંગ’ તરીકે ઓળખવામાં આવે છે. ગોવિંદ ધોળકિયા મૂળ અમરેલી જિલ્લાના દૂધલા ગામના વતની છે. 13 વર્ષની ઉંમરે તેઓ 1964માં સુરત આવી ગયા હતા અને હીરા ઉદ્યોગમાં તેમની સફર શરૂ કરી હતી. આજે હીરા ઉદ્યોગમાં દેશ-વિદેશમાં તેમનું નામ જાણીતું છે. ગોવિંદ ધોળકિયા સામાજિક પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા છે. શ્રી ગોવિંદભાઇ ધોળકિયા અગ્રણી પાટીદાર ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે. તેઓ સુરતના પ્રખ્યાત હીરા વેપારી છે. તેઓ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠીના દુધાળાના વતની છે. તેમણે સૌરાષ્ટ્રમાં જળસંચય માટે નોંધપાત્ર કાર્ય કર્યું છે. ધોળકિયા નરેન્દ્ર મોદીની નજીકના માનવામાં આવે છે. હીરા ઉદ્યોગમાં રામકૃષ્ણ ડાયમંડ્સના ચેરમેન ગોવિંદ ધોળકિયા મોટું નામ ગણાય છે. ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં એમણે આગવી કાર્યપદ્ધતિ અને આધ્યાત્મિક સ્વભાવને લઈ આગવી ઓળખ ઊભી કરી છે. મૂળ અમરેલીના દૂધાળાના વતની ગોવિંદભાઈએ સાંઈઠના દાયકામાં નાની ઉંમરે હીરા ઘસવાથી કારકિર્દીની શરૂઆત કરી હતી અને સંઘર્ષ કરી તળિયેથી ટોચે પહોંચી હીરાઉદ્યોગમાં ઈતિહાસ રચી દીધો હતો.માત્ર સાત ચોપડી ભણેલા ગોવિંદભાઈએ આગવી કોઠાસૂઝ અને પ્રામાણિકતાપૂર્વક જીઇણ એમ્પાયર ઊભું કર્યું છે, જેમાં 6000થી વધુ લોકોને રોજગારી મળે છે. તેઓ સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર રહ્યા છે. ખાસ કરીને આરોગ્ય સેવામાં એમનું મોટું યોગદાન રહ્યું છે. એક સફળ ઉદ્યોગપતિની જિંદગી ઝાકમઝોળથી ભરેલી હોય એવી માન્યતાને સાદગીભર્યું સિદ્ધાંતપૂર્વકની આગવી જીવનશૈલી અપનાવી ગોવિંદકાકાએ જીવન જીવવાની ફિલોસોફી એમનાં સામાજિક કાર્યોમાં દર્શાવી છે. તેમની આ સિદ્ધિને ધ્યાને લઈ અમદાવાદની ઈન્ડ્સ યુનિવર્સિટી દ્વારા એમને માનદ્ પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી. ડો.ગોવિંદભાઈ ધોળકિયા ભલે ઓછું ભણેલા હશે, પણ એમની કોઠાસૂઝ કોઈપણ કોર્પોરેટને શરમાવે એવા વ્યવસાયી છે.