સાવરકુંડલામાં ઇન્દિરા વસાહતમાં પીજીવીસીએલના ઈલેક્ટ્રીક તાર તૂટયા : બે બકરાનાં ઘટના સ્થળે મોત

સાવરકુંડલામાં ઇન્દિરા વસાહતમાં પીજીવીસીએલના ઈલેક્ટ્રીક તાર તૂટયા : બે બકરાનાં ઘટના સ્થળે મોત

સાવરકુંડલા,

સાવરકુંડલામાં 23 જૂન 2024 રવિવારના રોજ બપોર બાદ વરસાદ શરૂ થયો હતો ત્યારે 5:45 કલાકે સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં ઇન્દિરા વસાહત વોર્ડ નંબર 6 બાપાસીતારામ ની મઢુલી પાસે મુકેશભાઈ પરસોત્તમભાઈ જમોડ ના મકાન ઉપર વરસાદને હિસાબે આરસીસી પારાપિટ પડવાથી બાજુમાંથી પસાર થતા પીજીવીસીએલના ઈલેક્ટ્રીક તાર તુટેલ જેને કારણે નીચે રોડ પર સુરાભાઈ વશરામભાઈ ગોહિલ ની માલિકીના 80 જેટલા બકરા પૈકી બે બકરાનું ઇલેક્ટ્રિક શોટ લાગવા થી ઘટના સ્થળે મોત થયેલ અન્ય કોઈ જાનહાની ટળી હતી.