અમરેલીમાં 224 કીલો લાડુનાં અન્નકુટનું આસ્થાભેર આયોજન

અમરેલી,

આગામી તા.19/11/23 કારતક સુદ સાતમ ને રવીવાર ના રોજ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામબાપા ની 224 મી જન્મજયંતિ નિમિતે જલારામ ધૂન મંડળ પરિવાર અમરેલી દ્વારા અત્રેના લીલીયા રોડ પર આવેલ જલારામ મંદિર ખાતે 224 કિલો લાડુ ના અન્નકૂટ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.જલારામ ધૂન મંડળ દ્વારા સ્થાપના વર્ષ 1999 થી અવિરત ધૂન તેમજ જલારામ જ્યંતી ના અવસરે અવનવા અન્નકૂટ ના આયોજન કરવામાં આવે છે.જેમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ 224 કિલો લાડુ ના અન્નકૂટ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે ત્યારે પૂજ્ય બાપા ના તમામ ભક્તો અન્નકૂટ ધરાવવાનો લાભ લઇ શકે તે માટે નું વ્યવસ્થિત આયોજન પણ કરવામાં આવ્યું છે. તેમજ જે ભાવિકોએ લાડુ ની સેવા નોંધાવેલ છે તે તમામ ભાવિક ભક્તજનોને સંધ્યા આરતી બાદ પૂ. બાપા ની પ્રસાદી તેમના સુધી પહોંચાડવામાં માટેનું પણ આયોજન કરવામાં આવેલ છે.વધુ વિગત મેળવવા માટે તેમજ લાડુ ની સેવા નોંધાવવા માટે ભરતભાઇ ખંધેડિયા,94287 96208,હિરેન માધાણી, 99245 21940,રાકેશ સોમૈયા, 98249 72725, દર્શન ખખ્ખર, 9428794942, વિજય તન્ના, 7878339399,પરેખખ્ખર,94287 11567 જીજ્ઞેશ પોપટ, 70169 69349 ઉપર સંપર્ક કરવા જલારામ ધૂન મંડળ ની એક યાદી માં જણાવાયું