શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલીના ઓર્થોપેડીક ડોક્ટર ટીમ દ્રારા ૧૦૦ થી વધુ ધુંટણ બદલવા ના ઓપરેશનો સફળતા પૂર્વક પાર પડાયા.

વર્ષ ૨૦૧૯ માં અમરેલી જીલ્લાને મેડીકલ કોલેજ મળતા ગજેરા ટ્રસ્ટ દ્રારા અમરેલી સીવીલ
હોસ્પિટલમાં ધરખમ સુધારાઓ કરવામાં આવ્યા જેના ભાગ રૂપે નવી નિર્માણ કરેલ હોસ્પિટલ બિલ્ડીંગમાં
અતિ આધુનિક મોડયુલર ઓપરેશન થીએટર બનાવવામાં આવેલ છે. જેમા શાંતાબા જનરલ હોસ્પિટલના
નિષ્ણાંત ઓથોપેડીક સર્જન ડો. નિશાંત સુવાગીયા અને ડો. યાજ્ઞિક ભુવા દ્રારા ૧૦૦ કરતા વધુ ધુંટણ
બદલવાના ઓપરેશનો સફળતા પૂર્વક પાર પાડવામાં આવેલ છે. ડોક્ટરોની ટીમ દ્રારા સવારે સાંધા બદલવાનું
ઓપરેશન કરી સાંજે પેશન્ટને દુ:ખાવા વગર ચાલતા કરી દેવામાં આવ્યા હતા. ડો.નિશાંત સુવાગીયા અને
ડો.યાજ્ઞિક ભુવા અન્ય ઓપરેશનો જેવા કે થાપા બદલવાના ઓપરેશન, સુક્ષ્મ ચીરા દ્રારા જર્મન પધ્ધતિથી
ઓપરેશન, સળીયા નાખવાના અને પ્લેટ બેસારવાના ઓપરેશનો તથા અન્ય કોઇપણ પ્રકારના ફ્રેકચર અને
હાડકાને લગતા ઓપરેશન તથા સારવારનો દર્દીને બહોળા પ્રમાણમાં લાભ મળી રહેલ છે ઓપરેશન બાદ
જરૂરી કસરતો માટે હોસ્પિટલ ખાતે જ ઊપલબ્ધ ફિજીયોથેરાપી ડીપાર્ટમેન્ટનો પણ દર્દીને લાભ મળી રહે
છે.શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલીના મેનેજમેન્ટ કર્તા ભરતભાઈ ધડુક ના જણાવ્યા મુજબ આ
તમામ ઓપરેશનો સરકારશ્રીની PM-JAY યોજના અંતર્ગત સંપૂર્ણ ફ્રિમાં કરવામાં આવેલ છે. અને
હોસ્પિટલ ખાતે દાખલ તમામ દર્દીને દવા, રીપોર્ટસ, ઓપરેશનો અને સાથે-સાથે જમવાની સુવિધા પણ
હોસ્પિટલ દ્રારા ફ્રીમાં પૂરી પાડવામાં આવે છે તથા સાવ નજીવા સરકાર માન્ય દરે લોકોને સી.ટી.સ્કેનની
સુવિધા પણ મળી રહે છે.ડો.નિશાંત સુવાગીયા અને ડો.યાજ્ઞિક ભુવા તથા તેમની ટીમને ૧૦૦ ઓપરેશનનો માઈલસ્ટોન
પાર કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી વસંતભાઈ ગજેરા એ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.