અમરેલી જિલ્લામાં નવ તાલુકાના લોકો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાયા

અમરેલી,
વર્ષ-2047 સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તા.13 ડિસેમ્બર, 2023ના રોજ જિલ્લાના 18 ગામડાઓના 4,604 નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોજનાકીય વિગતો અને માહિતી મેળવી હતા.વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા.13 ડિસેમ્બર, 2023ના રોજ આરોગ્ય કેમ્પમાં 2,357 નાગરિકોએ આરોગ્ય ચકાસણી, 1,658 નાગરિકોએ ટીબીના ટેસ્ટ કરાવ્યા હતા. ’મારું ભારત’ અંતર્ગત 134 સ્વયંસેવકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે 29 લાભાર્થીનું રજીસ્ટ્રેશન થયું હતું. આ સાથે 24 મહિલાઓ સહિત વિશેષ વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.”મેરી કહાની મેરી ઝુબાની’ના 64 લાભાર્થીઓ હતા. ઉપરાંત વિવિધ ગામનાં લોકોએ વિકસિત ભારતના સંકલ્પ લીધા હતા. જમીન આરોગ્ય ચકાસણી નિદર્શનનો 58 લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો. પ્રાકૃતિક કૃષિ બાબતે 41 ખેડૂતોનો વાર્ચાલાપ યોજાયો હતો. ઉપરાંત 326 લાભાર્થીઓએ આયુષમાન કાર્ડ માટેની પ્રક્રિયા કરી હતી અને 139 આયુષમાન કાર્ડનું સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યું હતું.’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના પૂર્વનિર્ધારિત રુટ મુજબ ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ધારી તાલુકાઓના ગામડાઓમાં તા.24 નવેમ્બરથી તા.29 ડિસેમ્બર સુધી પરિભ્રમણ કરશે. જ્યારે સાવરકુંડલા તાલુકામાં તા.24 નવેમ્બર, 2023થી તા.01 જાન્યુઆરી, 2024 સુધી પરિભ્રમણ કરશે. કુંકાવાવ તાલુકામાં તા.24 નવેમ્બરથી તા.16 ડિસેમ્બર સુધી પરિભ્રમણ કરશે. રાજુલા તાલુકામાં આ યાત્રા તા.24 નવેમ્બરથી તા.28 ડિસેમ્બર સુધી પરિભ્રમણ કરશે. બાબરા તાલુકામાં તા.24 નવેમ્બરથી તા.22 ડિસેમ્બર સુધી પરિભ્રમણ કરશે. મહત્વનું છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, હર ઘર જલ- જલ જીવન મિશન, દીનદયાલ અંત્યોદય યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નેનો ફર્ટિલાઇઝર યોજના સ્વામિત્વ યોજના, જનધન યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની 17 યોજનાઓને આવરી લેવામાં આવી છે. આમ વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા જન કલ્યાણકારી યોજનાઓ આ યાત્રા દ્વારા છેવાડાના પ્રત્યેક માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.