દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા ઇફકોમાં ડાયરેકટર પદની ચૂંટણી યોજાતા શ્રી દિલીપભાઇ સંઘાણી આજે ડાયરેકટર તરીકે બિનહરિફ જાહેર થયા હતાં. તે વેળાએ શુભકામના આપી રહેલા શ્રી અશ્ર્વિનભાઇ સાવલીયા, શ્રી નારણભાઇ કાછડીયા,શ્રી કૌશિકભાઇ વેકરીયા, શ્રી જનકભાઇ તળાવીયા,શ્રી જે. વી. કાકડીયા, શ્રી ભરતભાઇ સુતરીયા, શ્રી મનિષ સંઘાણી, શ્રી જેન્તીભાઇ પાનસુરીયા સહિતે શુભકામના પાઠવી હતી. તે વેળાએ તસ્વીરમાં નજરે […]
Read Moreઅમરેલીના દેવળીયા પાટીયા નજીક ખેતરની વાડ સળગી
અમરેલીના દેવળીયા પાટીયા નજીક ખેતરની વાડ સળગતા ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. ફાયર ઓફિસર શ્રી ગઢવીની ટીમે તુરત જ પહોંચી જઇ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. આ કામગીરીમાં ફાયર સ્ટાફના પ્રવિણભાઇ ચૌહાણ, કૃષ્ણભાઇ ઓળકીયા, યોગેશ કણસગરાએ ફરજ બજાવી હતી તે વેળાની તસ્વીરમાં નજરે પડે છે.
Read MoreSVEEP અને TIP અંતર્ગત તા.૪ મે ના રોજ ખાંભા રાજુલા અને સાવરકુંડલામાં રન ફોર વોટ કાર્યક્રમ યોજાશે
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ શરુ છે. સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. નાગરિકો પોતે પણ મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે એવી […]
Read Moreઅમરેલીમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ગરમા ગરમી નો વિડીયો વાયરલ
અમરેલીના જેસીંગપુરા વિસ્તારમાં કોંગ્રેસનો પ્રચાર કરવા ગયેલા કોંગ્રેસના કાર્યકરો અને તેની સામે ભાજપના કાર્યકર વચ્ચે પ્રચાર ન કરવા ના મામલે થયેલી ગરમા ગરમીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ચૂંટણી આડે હવે માત્ર પાંચ જ દિવસ બાકી રહ્યા છે તેવા સમયે પ્રચાર અને પ્રસાર ચરમશીમાએ છે ત્યારે આ ઘટના એ લોકોમાં ઉત્તેજના ફેલાવી છે
Read Moreગારીયાધાર પંથકમાં શ્રી ભરત સુતરીયાનો વિદ્યુત વેગી લોકસંપર્ક
અમરેલી, ગારીયાધાર વિધાનસભાના ગામ જેસર, સેદરડા, ગળથર, મોણપર, ગૂંદરણા, લુવારા, માનવિલાસ, પરવડી, મોટા ચારોડીયા તેમજ ગારીયાધાર શહેર સહિત વિવિધ ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે પ્રચારપ્રસાર કર્યો .આ તકે કેન્દ્રની મોદી સરકારની વિવધ સિદ્ધિ વિષે લોકો સાથે ચર્ચા કરી હતી. દરેક કાર્યક્રમમાં લોકોની સંખ્યામાં હાજરી જોવા મળી હતી. આતકેજિલ્લા ભાજપ પ્રમુખ આર. સી. મકવાણા, પૂર્વ ધારાસભ્ય […]
Read Moreરાષ્ટ્રને પોતાનો પરિવાર માની 18 કલાક કામ કરનારા શ્રી મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તે નિશ્ર્ચિત છે : શ્રી પરશોત્તમ રૂપાલા
અમરેલી, સમગ્ર ભારત દેશને પોતાનો પરિવાર માનીને 24 માંથી 18 કલાક માત્ર દેશ માટે કામ કરનારા શ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રચંડ બહુમતી સાથે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે તે નિશ્ર્ચિત છે. તેમ અવધ ટાઇમ્સ સાથેની સીધી વાતમાં કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું હતુ.શ્રી રૂપાલાએ વધ્ાુમાં જણાવ્યુ હતુ કે આજે શ્રી મોદી વિશ્ર્વના નેતા છે ભારતનો […]
Read Moreમે-૨૦૨૪ની તા. ૬ અને તા.૭ દરમિયાન અમરેલી એ.આર.ટી.ઓ ખાતે મોટરીંગને લગતી કામગીરી બંધ રહેશે
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત વિવિધ કચેરીઓ અને અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓને ચૂંટણી ફરજલક્ષી કામગીરી સોંપવામાં આવી છે. મે-૨૦૨૪ની તા.૦૬ અને તા.૦૭ દરમિયાન અમરેલી સહાયક પ્રાદેશિક વાહન વ્યવ્હાર કચેરીના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ દ્વારા પણ ચૂંટણી ફરજ પરત્વેની કામગીરી કરવામાં આવનાર છે. તેમની આ ફરજને લીધે આ બે દિવસ (મે-૨૦૨૪ની તા.૦૬ અને તા.૦૭) દરમિયાન અમરેલી એ.આર.ટી.ઓ કચેરી ખાતે મોટરીંગને લગતી રોજિંદી કામગીરી […]
Read Moreશ્રી નરેન્દ્ર મોદીની હેટ્રીક માટે છતીસગઢના ગુજરાતી સમાજ દ્વારા દ્વારકાધિશજીનું ધ્વજારોહણ કરાયું
સમસ્ત ગુજરાતી સમાજ છત્તીસગઢના રાજ્ય પ્રમુખ મૂળ અમરેલીના વતની શ્રી પ્રિતેશ ગાંધીના નેતૃત્વમાં શ્રી નરેન્દ્ર મોદીની હેટ્રીક માટે છતીસગઢના ગુજરાતી સમાજ દ્વારા દ્વારકાધિશજીનું ધ્વજારોહણ કરાયું હતુ રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે મોદીની હેટ્રિક માટે દ્વારકાધીશનો ધ્વજ લહેરાવી વિશેષ પૂજા કરાઇ હતી દેશમાં અનેક સ્થળોએ શ્રી મોદીને વડાપ્રધાન બનાવવા પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે ત્યારે […]
Read Moreબગસરા પાસે મીની બસ પલટી ખાતા બેના મોત 18 ને ઇજા
બગસરા પાસે આજે બપોરે અમરેલીમાં કંકુ પગલા કરવા આવેલ મીની બસ પરત વિસાવદરના ઈશ્વરીયા ગામે જતી હતી ત્યારે બગસરા બાયપાસ ઉપર મચ્છુ આઈ મંદિર પાસે કોઈ કારણોથી વળી જતા એક અઢી વર્ષની બાળકી અને 40 વર્ષના મહિલા ગીતાબેન હરસુખભાઇ રૃડાની ૪૧ વર્ષ અને આરના હિરેનભાઈ ૨ વર્ષનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું છે અને 18 […]
Read Moreએટીએસનું ઓપરેશન : અમરેલીમાંથી ડ્રગ્સની ફેકટરી ઝડપાઇ : બે ને એસઓજીએ પકડયા
અમરેલીમાં થી ડ્રગ્સ બનાવવાની ફેકટરી ઝડપાતા ખળભળાટ મચી જવા પામેલ છે આ અંગે વિગતો આપતા અમરેલીના એસપીશ્રી હિમકરસિંહે જણાવ્યું હતુ કે, એટીએસની સુચના મળતા અમરેલી એસઓજીને સુચીત સ્થળે મોકલવામાં આવી હતી આ સમયે શંકાસ્પદ સામાન લઇ જઇ રહેલ બે શખ્સનોને પકડી તપાસ કરતા તેમા ડ્રગ્સ હોવાનુ જણાતા તેમને એટીએસને હવાલે કરવામાં આવ્યા છે. આ અંગે […]
Read More