અમરેલી, અમરેલીમાં સાવરકુંડલા રોડ ખાતે બનેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-અમરેલી, નવા માર્કેટયાર્ડમાં ગત તા.11/01/ર0ર4 ને ગુરૂવાર નાં રોજ સિઝનના નવા ચણાની આવક શરૂ થઈ હતી. જેમાં શ્રી લાલજીભાઈ વિનુભાઈ માંજુસા રે.ચરખા ગામનાં ખેડૂત, કમિશન એજન્ટશ્રી હર્ષવીર ટ્રેડીંગ ની દલાલીમાં અંદાજીત 20 મુદ્દા જેટલા ચણા લઈને આવેલ હતાં અને નવા ચણાની ખરીદી […]
Read Moreઅમરેલીમાં શિક્ષકો સહિત કર્મચારીઓના ધરણા
અમરેલી, અમરેલી જિલ્લામાં શિક્ષકોએ જુની પેન્શન યોજના શરૂ કરવા માંગ સાથે ધરણા યોજી વિરોધ્ધ પ્રદર્શન કર્યુ હતું. સરકાર દ્વારા શિક્ષકો માટે પેન્શન યોજના હતી તે બંધ કરી દેતા રોષિત બનેલા શિક્ષકોએ જાહેર થયેલા કાર્યક્રમ મુજબ અમરેલીમાં આજે શિક્ષકોએ ધરણા કરી વિરોધ્ધ પ્રદર્શન સાથે સુત્રોચ્ચાર કર્યો હતો. આ ધરણા કાર્યક્રમમાં પ્રદેશ આગેવાન સતિષભાઇ પટેલ સહિત ઉપસ્થિત […]
Read Moreલાઠી તાલુકાના ચાવંડ ગામે રૂ.32 લાખના કામોનું ખાતમુહુર્ત કરતા ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા
લાઠી તાલુકાના ચાવંડ ગામે સાંસદશ્રી નારણભાઈ કાછડીયા તેમજ ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાના હસ્તે રૂ.32 લાખ ના ખર્ચે નવનિર્મિત થનાર રોડ રસ્તાના કામો જેવાકે પ્લોટ વિસ્તાર તેમજ જૂનું ગામ વિસ્તારમાં બ્લોક પેવિંગ રોડ, અનુસુચિત વિસ્તારોમાં બ્લોક રોડ ના કામો, નાળા, પુલ ના કામો, ભૂગર્ભ ગટરના કામો, પીવાના પાણીની ટાંકી બનાવવાના કામો, સી.સી.રોડના કામો વિગેરેનું ખાતમુહૂર્ત કરવામાં […]
Read Moreબગસરામાં 22 કિલો ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો
બગસરા, ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશક સી.આઈ.ડી.ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ કેફી ઔષધો મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર હેરા-ફેરી વેચાણ અટકાવવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.જેના ભાગ રૂપે એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા […]
Read Moreબગસરામાં ડીવાયએસપી દ્વારા બજારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું
બગસરા પોલીસ દ્વારા મકરસંક્રાંતિ તહેવાર તથા બગસરામાં ઉત્સવ હોવાને કારણે બગસરના મુખ્ય માર્ગો પર જેવા કે વિજય ચોક સ્ટેશન રોડ બસ સ્ટેન્ડ મેન બજાર હોસ્પિટલ રોડ થાણા રોડ વિગેરે વિસ્તારો પર ડીવાયએસપી સોલંકી સાહેબ પી.આઈ પારગી પીએસઆઇ પોલીસ કાફલા સાથે બગસરાના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જે તસવીરમાં નજરે પડે છે.
Read Moreમુંજીયાસર પાસે રોજડુ અને સિંહણ ઇનોવા સાથે અથડાયા : ઇનોવાનો ભુક્કો : સિંહણને ઇજા
બગસરા, બગસરામાં આજે યોજાઇ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહી પરત જુનાગઢ જતા જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી ડી.કે.સ્વામિની ઇનોવાને વિચિત્ર અકસ્માત નડયો હતો જેમાં રોજડાનો શિકાર કરતી સિંહણ અને રોજડુ બંને ઇનોવા સાથે અથડાતા ઇનોવાનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માતની વિગતોની પ્રાથમિક રીતે મળતી માહિતી અનુસાર સાંજના સમયે નાના અને મોટા મુંજીયાસર વચ્ચે […]
Read Moreધારીના બળાત્કાર કેસમાં વીસ વર્ષની સજા ફટકારતી કોર્ટ
અમરેલી, 2021ની સાલમાં ધારીમાંથી સગીરાને ભગાડી જઇ અને બળાત્કાર કરવાના ગુનામાં આરોપીને પોકસો કોર્ટે વીસ વર્ષની સજા અને સવા લાખનો દંડ ફટકાર્યો હતો.આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, તા. 17/8/2021ના રોજ ધારીમાંથી સતર વર્ષની સગીરાને રાજકોટના મોટાવડા તાલુકો લોધીકાાનો રહીશ આ2ોપી અજય અનીલ ડાભી ભગાડી ગયો હતો અને તેણીને ગર્ભ રાખી દીધો હતો. આ […]
Read Moreપ્રાથમિક સુવિધાઓ આપી મુશ્કેલી દુર કરાવતા શ્રી ધર્મેન્દ્ર મહેતા અને શ્રી લાલાભાઇ ગોહિલ
અમરેલી, \ સાવરકુંડલા શહેરી વિસ્તાર વોર્ડ નંબર 6 ના વિધુતનગર સામેની વસાહત ની પાછળ આવેલ ખાણ વિસ્તાર જયા નાના માણસો વસવાટ કરે છે ત્યા વિસ્તારમાં લોકો ની મુશ્કેલીઓ દુર કરવા આપણા સાંસદશ્રી નારણભાઇ કાછડીયા તેમજ ધારાસભ્ય શ્રી મહેશભાઇ કસવાલા ના માર્ગદર્શન હેઠળ તેમજ લોકો ના પ્રશ્ન માટે સતત જાગૃત અને જોઇશું, વિચારીશું જેવા શબ્દો જેની […]
Read Moreકુંડલામાં આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ કરતા પુ.મોરારિબાપુ
સાવરકુંડલા, શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સાવરકુંડલામાં મોરારિબાપુની નિશ્રામાં પર્વ ત્રયોદશી – 2024 ની દબદબાભેર ઉજવણી કરાઇ હતી. સાહિત્ય, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સાવરકુંડલા ખાતે સુપેરે કાર્યરત સંસ્થા શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા પ્રતિવર્ષની જેમ પર્વ ત્રયોદશી કાર્યક્રમનું આગામી 10 અને 11 જાન્યુઆરીના રોજ શ્રી જે.વી.મોદી હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં આયોજન થયુંહતું.આ કાર્યક્રમ 13 વર્ષથી સાતત્યપૂર્ણ રીતે ઉજવાય રહ્યો […]
Read More