કોવાયામાં કુવામાં પડી જતાં, કુંડલા અને કોલડામાં ઝેરી દવા પી જતા-અમરેલીમાં ગળાફાંસાથી મોત

અમરેલી, અમરેલી જિલ્લામાં કમોતના બનાવની જાણે વણઝાર ચાલી રહી હોય તેમ જુદા જુદા કારણોસર કોવાયામાં યુવાનનું કુવામાં પડી જતાં, સાવરકુંડલામાં વૃધ્ધનું ઝેરી દવા પીજતા, અમરેલીમાં પ્રૌઢનું ગળાફાંસો ખાઇ જતા તેમજ કોલડામાં યુવાનનું ઝેરી દવા પી જતાં મોત નિપજયું હતું. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર રાજુલા તાલુકાના કોવાયા માયન્સ કોલોનીમાં રહેતા મુળ મહુવા તાલુકાના રાણીવાડા ગામના […]

કુંડલાના વિજપડીમાં દબાણ હટાવ ઝુંબેશ : કિન્નાખોરી સામે કચવાટ

વિજપડી, કુંડલાના વિજપડીમાં દબાણ હટાવ ઝુંબેશ ચલાવાઇ હતી પણ તેમા કિન્નાખોરી સામે કચવાટ જોવા મળ્યો હતો.દબાણ હટાવવાની પ્રમાણીક શરૂઆત પોતાથી કરવાનીે હોય છે પણ અમુક દબાણ હટાવાયા હતા તો અમુક ન હટાવાયા હોવાનો કચવાટ લોકોમાં જોવા મળ્યો હતો.વિજપડીમાં 30 જેટલા દબાણકારોને નોટીસ આપીને દબાણો હટાવ્યા હતા પણ રાજુલા ુજવાના માર્ગે વીજપડી ગામપંચાયતી દુકાન તથા અન્ય […]

અમરેલી જિલ્લા યુવા કોંગ્રેસના હોદેદારોની નિમણુંક કરાઇ

અમરેલી, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રભારી શ્રી હરપાલસિંહ જાડેજાની મંજુરીથી અમરેલી શહેર તાલુકા યુવક કોંગ્રેસના હોદેદારોની વરણી કરવામાં આવી છે. તેમાં અમરેલી શહેરના વિધાનસભા વિસ્તાર યુવક કોંગ્રેસના પ્રમુખ પદે જયરાજભાઇ અશોકભાઇ મૈયાત્રા અને તાલુકા વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખ પદે આશિષભાઇ અજુભાઇ જેબલીયા તથા રાજુલા જાફરાબાદ વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે કરણભાઇ અશોકભાઇ કોટડીયાની વરણી કરી […]

50થી વધ્ાુ ચોરી કરનાર ગેંગ પકડતી અમરેલી એલસીબી

અમરેલી, નરેન્દ્રસિંહ બહાદુરસિંહ પરમાર, ઉ.વ.40, રહે.રાજુલા, સ્વામિનારાયણ નગર, છતડીયા રોડ, તા.રાજુલા, જિ.અમરેલી વાળા ગઇ તા.02/03/2024 નાં રોજ પોતાના પરીવાર સાથે ધારી મુકામે પોતાનું રહેણાંક મકાન બંધ કરી ગયેલ હોય, તે દરમિયાન રાત્રીના અજાણ્યા ચોર ઇસમોએ રહેણાંક મકાનમાં ગે.કા. પ્રવેશ કરી, રૂમનું તાળુ તોડી, કબાટમાં રાખેલ રોકડા રૂ.8,000/- તથા સોના ચાંદીના દાગીના કુલ કિ.રૂ.3,57,000/- મળી કુલ […]

કોપર- ખાતર ઉદ્યોગ જિલ્લાના વિકાસને વેગ આપશે

અમરેલી, અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ તાલુકામાં આગામી 3 વર્ષમાં રૂ. 10,000 થી 15000 કરોડથી વધુ રકમના મૂડી રોકાણથી ઇન્ડો એશિયા કોપર લિમિટેડની કોપર રિફાઇનરી અને ડીએપી અને એનપીકે જેવા ખાતરો બનાવવાના ઉધ્યોગની સ્થાપના કરવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આવતી 13મી માર્ચે લોક સુનાવણી યોજી અને લોકોના પ્રશ્નો અને સૂચનો લેવામા આવ્યા હતા જેમા સ્થાનિક […]

કોપર પ્લાન્ટ સામે રેલી, સમર્થનમાં પણ બેઠક મળી

રાજુલા, રાજુલા જાફરાબાદ વચ્ચે લોઠપુર ગામ નજીક આવી રહેલ કોપર કંપનીના કારણે પર્યાવરણ સહિત સ્થાનિકોને નુકસાન જવાની ભીતિ હોવાને કારણે કેટલાક સંગઠન સંસ્થાના લોકો વિરોધનો સુર ઉઠાવ્યો છે આવતી 13 તારીખ લોઠપુર ગામ નજીક સુનાવણી હોવાને કારણે ખેડૂતો સહિત પર્યાવરણ પ્રેમીઓ સંસ્થાના લોકો દ્વારા રાજુલા કોપર હટાવો સમિતિ દ્વારા એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું […]

આજે જિલ્લાભરમાં ભોળીયા દેવ “મહાદેવ’ની આરાધના

અમરેલી, અમરેલી શહેર અને જીલ્લાભરમાં આજે મહાશિવરાત્રિ નિમિતે શિવ મંદિરોને ધજા પતાકા અને રોશનીથી સુશોભીત કરવામાં આવેલ છે.અમરેલી કામનાથ મહાદેવ ,નાગનાથ મહાદેવ, નાગદેવતા મંદિર નાગેશ્ર્વર મહાદેવની વર્ણાગી નીકળશે.નાગનાથ મહાદેવ મંદિરે લઘુરૂદ્રયજ્ઞનું આયોજન થતા યજમાનો યજ્ઞ વિધિમાં વિદ્વાન બ્રાહમણો દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપશે.અમરેલી શહેરના કાશી વિશ્ર્વનાથ , ભીમનાથ, સુખનાથ , ભીડભંજન, પંચનાથ , જીવનમુકતેશ્ર્વર, […]

શ્રી રૂપાલા ઇશ્ર્વરીયામાં મહાશિવરાત્રી પર્વ ઉજવશે

અમરેલી, 7મીએ દિલ્હીથી અમદાવાદ, ગાંધીનગર અને તા.8-3-24ને શુક્રવારે સવારે ગાંધીનગર નિવાસ સ્થાન બાદ બપોરે 1:15 કલાકે અમદાવાદ,1:45 કલાકે કાલુપુર રેલ્વે સ્ટેશને થઇને રાજુલા આવશે, 7:05 મિનીટે લીલીયા રેલ્વે સ્ટેશન આવીને સીધા ઇશ્ર્વરીયા જશે અને શ્રી પ્રતાપરાય પંડયા ભવનનું ઉદ્ઘાટન કરાશે. રાત્રે મહાશિવરાત્રીમાં હાજરી બાદ તા.9-3-24ને શનિવારે સવારે 9:15 કલાકે રાજકોટ થી મેગા એકજીબીસનમાં હજારી આપી […]

અમરેલીમાં ભાજપનાં ઉમેદવાર કોણ ? : ભારે સસ્પેન્સ

અમરેલી, આઠમીએ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સુધીમાં બીજી યાદી જાહેર થવાની શકયતા વચ્ચેઅમરેલીમાં ભાજપના ઉમેદવાર કોણ ? તોનો ભારે સસ્પેન્સ પ્રવર્તે છે ભાજપનીે બીજી યાદીમાં ગુજરાતની બાકી રહેતી 11 બેઠકોના નામો જાહેર થાય તેવી શકયતા વચ્ચે ભાજપના કાર્યકરો અને આમ જનતામાં પણ અમરેલીના ઉમેદવાર માટે ઉત્કંઠા દેખાઇ રહી છે બુધવાારે શ્રી પાટીલની અમરેલી અને રાજુલાની […]

જાફરાબાદ ખારવાવાડમાં ખુલ્લા વીજપોલથી અકસ્માતનો ભય

રાજુલા, ખારવા સમાજ દ્વારા રજૂઆત થતા પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક આ ઈલેક્ટ્રીક વિજપોળને જાળી થી બંધ કરવામાં આવ્યા જાફરાબાદ શહેરમાં આવેલા સામા કાંઠા વિસ્તારમાં ખારવા સમાજની વસ્તી છે અહીં ખારવા સમાજ વસવાટ કરે છે અહીંના ખારવા સમાજના ભાઈઓ માછીમારી માટે દરિયામાં ચાલ્યા જતા હોય છે અને આઠ મહિના સુધી ઘરે હોતા નથી ત્યારે ઘરે માત્ર નાના […]