ખાંભા-રાજુલા-થોરડી બાયપાસ રોડની રેલિંગ બનાવવા માંગ

સાવરકુંડલા, સાવરકુંડલા અને લીલીયા વિસ્તારમાં ચૂંટાઈને આવ્યા બાદ માત્ર પ્રજાના કામો અને વિકાસનો પર્યાય બનવા માટેનો અથાગ પ્રયત્ન સાથે કામની કુશળતામાં માહિર ધારાસભ્ય મહેશભાઇ કસવાળાએ આગામી બજેટમાં વધુ સાવરકુંડલા પંથકના રોડ રસ્તાઓ માટે આગામી 2024/25 ના બજેટમાં સમાવેશ કરીને માર્ગો રળિયામણા બને તે માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી છે […]

જિલ્લાનાં આહિર સમાજની બહેનો દ્વારકામાં કૃષ્ણમય બનશે

વડિયા, સમગ્ર ભારત માં આહીર (યાદવ )સમાજની ખુબ મોટી વસ્તી વસવાટ કરે છે. આ આહીરો શ્રી કૃષ્ણ ના વંશજ હોવાથી પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ ને માને છે.હિન્દુસ્તાનમાં ગોકુલ, મથુરા બાદ દ્વારકામાં આહીરો સાથે આવી પોતાની નગરી વસાવી હતી આજે પણ ગુજરાત માં વસતો આહીર સમાજ અને જગત મંદિર દ્વારકા તેની સાક્ષી પુરે છે. આ […]

વીજપડીમાં સીએચસી સેન્ટર તો ગાધકડાને પીએચસી સેન્ટર પર સરકારની મંજૂરીની મહોર

સાવરકુંડલા, સાવરકુંડલા લીલીયા વિધાનસભામાં ચૂંટાઈને ધારાસભ્ય બનેલા મહેશભાઈ કસવાળા એક દિવસ પણ બન્ને તાલુકાના વિકાસ અને રાજ્યમાં સૌથી વિકાસ શીલ વિધાનસભાની બેઠક બને તે માટે સતત જાગૃત થયા તેના ફળ સ્વરૂપે સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ગામડાઓમાં વિકાસની હરણફાળ જોવા મળી રહી છે સાવરકુંડલાના સૌથી મોટા ગામ વીજપડીને પી.એચ.સી. સેન્ટર માંથી સી.એચ.સી.સેન્ટરમાં કાર્યરત કરવા કરોડોના ખર્ચે આધુનિક […]

વંડાના પશુ દવાખાનામાં 10 વર્ષથી ડોક્ટર નથી : 70 વર્ષ જુનું બિલ્ડીંગ સાવ જર્જરીત

અમરેલી, સાવરકુંડલા તાલુકાના વંડામાં સરકારી પશુ દવાખાનામાં છેલ્લા 10 વર્ષથી ડોક્ટર ન હોય પશુ પાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વંડાના પીયાવા, આંકોલડા, ખાલપર, મેકડા જેવા ગામોમાં પશુપાલકોની બહુમતી છે અને ત્યાં પશુપાલન મુખ્ય વ્યવસાય છે છેલ્લા દસ વર્ષથી અહીં પશુ ડોક્ટર નથી અને પટાવાળા પણ નથી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બંધાવેલા આ દવાખાનાની ઇમારત પણ જર્જરીત હાલતમાં […]

અમરેલી જિલ્લા પોલીસની કામગીરીનાં પુસ્તકનું વિમોચન

અમરેલી, આજરોજ પોલીસ અધિક્ષકશ્રી ની કચેરી ખાતે હાજર અમરેલી જિલ્લાની વર્ષ 2022 ની કામગીરી અંગેનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યુ હતું. આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઇ વેકરીયા, સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા, લાઠી-બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઇ તળાવીયા, જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતભાઇ સુતરીયા તથા જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. ત્યારબાદ, તમામ મહાનુભાવના […]

મુન્ના રબારીકાને ઉતરાખંડમાંથી પકડતી અમરેલીની ક્રાઇમ બ્રાંચ

અમરેલી, અમરેલી જીલ્લાના પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ હીસ્ટ્રીશીટર અને ગુજસીટોક જેવા ગંભીર અપરાધમાં સંડોવાયેલ શીવરાજ ઉર્ફે મુના રામભાઈ વીછીંયાને ઉતરાખંડના નૈનિતાલથી અમરેલી એલસીબી ટીમે ઝડપી પાડયો હતો.2016થી હત્યા, દારૂબંધી,હથીયાર ધારા, મહેફીલ અને ગુજસીટોક સહિતના 10 ગુનામાં સંડોવાયેલ આરોપી શીવરાજ ઉર્ફે મુન્ના રામભાઈ વીંછીંયાને ગુજસીટોકના ગુનામાં સુપ્રિમ કોર્ટના જામીન મળ્યા હતા પણ જામીન ઉપર છુટી તેણે સાવરકુંડલા […]

અમરેલી જિલ્લામાં નવ તાલુકાના લોકો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાયા

અમરેલી, વર્ષ-2047 સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તા.13 ડિસેમ્બર, 2023ના રોજ જિલ્લાના 18 ગામડાઓના 4,604 નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોજનાકીય વિગતો અને માહિતી મેળવી હતા.વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા.13 ડિસેમ્બર, 2023ના રોજ આરોગ્ય […]

લીલીયામાં રોડનું કરવા દેવા માટે 25 લાખની ખંડણી માંગી

અમરેલી લીલીયા તાલુકાના સનાળીયા ગામે તા. 13-12 ના બપોરના ઓમ કંન્ટ્રકશન કંપનીમાં નોકરી કરતા સુરેશભાઈ રામાભાઈ ડાંગર ઉ.વ. 32 રહે. ખારી તા. શિહોરવાળા સાવરકુંડલાથી રંઘોળા સુધી રાડનું કામ શરૂ હોય. અને રોડની સાઈડ ઉપર સનાળીયા ગામે હાજર હોય. તે દરમ્યાન અમરેલીના છત્રપાલસિંહ વાળા, લાલાવદરના જગુ વાળા, લીલીયા સલીમ બેલીમ તથા એક અજાણ્યા શખ્સે પોતાનો સમાન […]

ખેડૂતોના હામી ગણાતા ધારાસભ્ય મહેશ કસવાળાએ કૃષિમંત્રીશ્રીને પત્ર પાઠવ્યો

સાવરકુંડલા, ખેડૂતોના હિતમાં હંમેશા ખડે પગે રહીને કર્તવ્ય નિષ્ઠા પૂર્વ ફરજ બજાવતા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઇ કસવાળાએ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવીને ખેડૂતોના હિતમાં તાર ફેન્સિંગ યોજનાનો લક્ષ્યાંક વધારવાની માંગ કરી છે જેમાં સરકારશ્રી દ્વારા ખેડૂતોને પાક રક્ષણ માટે ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટેની સહાય યોજના જાહેર કરેલ છે આ યોજનાના લાભ માટે ખેડૂતોએ આઇ-ખેડૂત […]

અમરેલી જિલ્લાનાં 37 નાયબ મામલતદારોની બદલીઓ

અમરેલી, ગત ચોમાસુ 2023 માટે મંજુર થયેલ હંગામી મહેકમની મુદત પુરી થતા અમરેલી કલેકટર શ્રી અજય દહીયાએ 37 નાયબ મામલતદારોની બદલીઓ કરી છે જેમાં 19 નાયબ મામલતદારોને ચુંટણી શાખામાં મુકવામાં આવ્યા છે. આ અંગે જાણવા મળેલ વિગત મુજબ અમરેલી ગ્રામ્યનાં આર.આર.સુવાગીયાને જિલ્લા ચુંટણી અધિકારી અમરેલીમાં નવી મંજુર થયેલ જગ્યાએ, કે.બી. માલકીયા, આર.બી. તેરૈયા, આર.એન.ગોહીલ, આર.એલ. […]